Skip to main content

adcash banner

શહિદ વીર જવાન ને શત્ શત્ નમન..🙏🅿️

🙏શહિદ વિર ને સો સો સલામ શત્ શત્ નમન.
માં ભરતી ની રક્ષા માટે હંમેશા રાજપૂત ક્ષત્રિયો અગ્રેસર રહ્યા છે ઈતિહાસ જેનો સાક્ષી છે
ત્યારે કચ્છ ના માંડવી તાલુકાના ગામ તલવાણા ના
ઝાલા હરદીપસિંહજી સહદેવસિંહજી એ પઠાણકોટ માં દેશ ની રક્ષા કરતા કરતા વીરગતિ પામ્યા છે શહીદ વીર હરદીપ સિંહ ઝાલા ને સો સો સલામ.
ભારતીય આર્મી માં ફરજ બજાવતા શ્રી હરદીપસિંહજી સહદેવસિંહજી ઝાલા મૂળ ગામ ચચાણા અને છેલ્લા 40 વર્ષોથી કચ્છ ના માંડવી તાલુકા ના તલવાણા ગામ માં રહેતા હતા ને તારીખ 12 /1 ના પઠાણકોટ પંજાબ માં અંતકી હુમલા માં દેશ ની સેવા કરતા શહીદ થાયા છે. જેમને આવતી કાલે સવારે આર્મી ના પ્લેન માં અમદાવાદ લાવામાં આવ્યા.
જ્યાં ભારતીય સેના અને પોલીસ દ્વારા શહીદ ને સલામી આપી ને રોડ મારફતે કચ્છ લાવામાં આવ્યા.
 વિર શહીદ ને આજ રોજ તા. 14/01/2018 ના સાંજે 4 વાગે તલવાણા મુકામે તેમના નશ્વર દેહ ને અંતિમ વિદાય આપવા માં આવશે.
જેમાં કચ્છ ભર માંથી રાજકીય,સરકારી, અધિકારી ઓ ઉપસ્થિત રહીને સદગત શહીદ ના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવા માં આવશે.
ક્ષત્રિય સમાજ માટે આ એક ખૂબ જ દુઃખદ બનાવ બની રહ્યો છે જેના જીવન માં ક્ષત્રત્વ બિરાજમાન છે એજ દેશ સેવા માટે પોતાની બલિદાન આપી શકે છે.
માં શક્તિ માતાજી તેમનાં પરિવાર ને આ આવી પડેલ દુઃખ ની ઘડી મા સહાયક બને અને સહન કરવા ની શક્તિ અપેૅ.
કચ્છ ભૂમિ ના કેશરી
હરદીપ વંદન હજાર
સલામ સો સો વાર
શ્યામ નમન  શહિદ ને.

પરવાહ ના કરી પ્રાણ ની
આપીયુ દેહ નું દાન
ઝાલા વ્હાલા જવાન
શ્યામ નમન શીહિદ ને.

તલવાણા અને પંથક ની જનતા ને અનુરોધ કે શહીદ ની યાદ કાયમ રહે અને આપણે તેમના ઋણી રહીએ માટે કોઈ સ્મારક બનાવે કે તેમના નામે સ્કૂલ શિષ્યવૃત્તિ કે ક્રિકેટ ટુર્નામેન્ટ ને તેઓના નામે કાયમી સ્મૃતિ રુપે સ્વરૂપ આપે.
તલવાણા ગામના ચોક માં શહીદ સ્મારક નુ નિર્માણ કરાવે જે આવનારી પેઢી ને તેમના બલિદાન ની યાદ અપાવે અને તેમને વિરત્વ ના ભાવ થી ગદગદીત કરે પ્રેરણા આપે.
જય જવાન, વીર જવાન.
ૐ શાંતી ૐ🙏🅿️

Comments

Ad