Skip to main content

adcash banner

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ પુસ્તિકા ડાઉનલોડ કરવાં..

નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⬇️

https://drive.google.com/file/d/19qPt-Qf9y0TDJQFziYkaqjf7hLRR_kX3/view?usp=drivesdk

કચ્છના રાજપૂતો ઉપર એકીસાથે થનારા ચેપટર કેસો બાબતનો લેખ સામેલ.

જમીન મહેસુલનો ઈતિહાસ. 

એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો..મહેસૂલ માટે અમારા વિસ્તારમાં "વીઘોટી" શબ્દ વપરાતો..મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ...મહેસૂલી વહીવટનો રસપ્રદ ઇતિહાસ છે..અર્થશાસ્ત્રમાં જેમ એડમ સ્મીથ છે..મનોવિજ્ઞાનમાં જેમ સિગ્મંડ ફ્રોઇડનું નામ છે..સાહિત્યમાં જેમ શેક્સપિયર છે એવું જ નામ મહેસૂલી દુનિયામાં બ્રિટીશ સનદી અધિકારી એન્ડરસનનું છે..એણે ઇ.સ.1914માં તૈયાર કરેલા મહેસૂલી હિસાબના નમૂનાઓ દંતકથા સમાન છે..આજે પણ સાત બાર કે નમૂનો 6 હકકપત્રક એ જમીન માટે અનિવાર્ય છે..
https://youtube.com/c/KutchiBawaTalentHub 
   મહેસૂલી દુનિયા અને એના શબ્દો એની વિરાસતને વ્યકત કરે છે..રૈયત એટલે પ્રજા અને રૈયતવારી એટલે શાસન અને લોકો વચ્ચે સીધા વ્યવહારની પ્રથા..રકબો એટલે ગામનું કુલ ક્ષેત્રફળ..પાણીપત્રક એ પ્હાણીપત્રક છે.. પ્હાણી એટલે પાક અથવા ક્રોપ..એના વિવરણને તુલવારી કહેવાય છે...જમીનનું જે ભાડું હોય એને ગણોત કહેવાય એને ચૂકવનાર એ ગણોતિયો..જમીનનું રેકર્ડ દુરસ્ત કરવા માટે જે પત્રક હોય છે એનું નામ કમીજાસ્તી પત્રક..આ બધા શબ્દો જે તે શાસનપ્રણાલી સાથે આવેલા છે અને આજેપણ અડીખમ છે..બે હકકવાળી જમીનને દુમાલા કહેવાય...જમીનનો ભોગવટો જુની શરત અને નવી શરત એવા શબ્દોમાં વ્યકત થાય છે..'રેવન્યૂ રાહે નિકાલ' એ એવો શબ્દ છે જેની અર્થછાયા પકડવી મુશ્કેલ છે..

    આપણા સુપ્રસિદ્ધ લેખક ર.વ.દેસાઇ ગાયકવાડી રાજયમાં મહેસૂલી અધિકારી હતા જે સૂબાસાહેબ કહેવાય..આજે આપણે એને પ્રાંત અધિકારી કહીએ છીએ..કલેક્ટર લાટ સાહેબ કહેવાતા..મામલતદારો ભાઇસાહેબ..મામલતદાર એટલે મામલો ઉકેલનાર ! જે અરેબિક શબ્દ MUAMLA ઉપરથી આવ્યો છે..શિરસ્તેદાર,અવલ કારકૂન કે દફેદાર જેવાં પદો આજે નવાઇપ્રેરક લાગે. પણ એમનો દબદબો હતો.તલાટી શબ્દ પણ ગુજરાતી નથી..એની કચેરીને ચાવડી કહેવાય એ કદાચ મરાઠી શબ્દ છે.એક જમાનામાં નાનકડા તાલુકા હતા જે 'મહાલ' કહેવાતા અને એના અધિકારી એટલે મહાલકારી..રેવન્યૂ કચેરી એટલે દફતર.."દસાડા દફતરમાં જ નથી" એવી લોકોકિત પ્રચલિત છે..પન્નાલાલ પટેલની એક સરસ વાર્તા છે "ઘડાતો તલાટી" જેમાં વહીવટી જગત અને માનવસંવેદનાનું ગજબ નિરૂપણ છે..

 નદીના કાંઠા ઉપર જે જમીન ખુલ્લી થાય એને ભાઠાની જમીન કહેવાય..સૌથી ફળદ્રુપ જમીન એટલે કયારીની જમીન એ પછી આવે બાગાયત.. અને સરેરાશ જમીનનું મહેસૂલી નામ છે જરાયત..ખેડૂત જે લોન લે એને તગાવી કહેવાય..પાણીના વેરા ને પિયાવો કહેવાય..આ બધા શબ્દો એ પ્રચલિત ભાષાશાસ્ત્રથી અલગ છે...દરેક ખેતર એક સર્વે નંબર હોય  છે જે સામાન્ય રીતે સળંગ ક્રમમાં હોય..કયાંક ક્રમ તૂટે તો અલગ નંબર પડે જેને "ઉડાફા નંબર " કહેવાય..જમીનના ટેસ્ટને નિમતાણો કહેવાય...મહેસૂલી અધિકારીના પ્રવાસને ફેરણી કહેવાય..જમીન મૂલ્યાંકનને મોજણી કહેવાય..બાકી વેરાની નોંધ એટલે આકારણી..ફોડવારી પણ હોય..


મહેસૂલી જગત અનેક શાસકોના પ્રભાવ હેઠળ વિકસ્યું છે..સત્તા નિયમો કાયદાઓ અને અનેકવિધ કામગીરી એ એની વિશેષતા છે..એમાં અરબી ફારસી મરાઠી પોર્ટુગીઝ અંગ્રેજી જેવી ભાષાઓની મહેંક છે..પરંપરાઓ છે.. મજકુર, ઇસમ, તકરાર , બખેડો, જેવા શબ્દો હજુ પણ વપરાય છે..આવા શબ્દોની એક યાદી સી.એમ.જોશી નામના નિવૃત્ત આઇ.એ.એસ.અધિકારીશ્રીએ તૈયાર કરેલી છે જે અત્યંત રસપ્રદ છે..કુલીનચંદ્ર યાજ્ઞિક "વહીવટ ની વાતો" નામે પુસ્તકોમાં સરસ અનુભવો આલેખે છે..લલિત દલાલ જે ગુજરાતના મુખ્ય સચિવ હતા એ આઇ.સી.એસ અમલદારોની છેલ્લી કડી સમાન હતા..એમણે "સનદી સેવાનાં સંભારણાં " એ નામે  સાહિત્યિક મૂલ્ય ધરાવતું પુસ્તક લખ્યું છે..પી.કે.લહેરી સાહેબ વૈવિધ્યસભર લેખો લખે છે એ પણ નિવૃત આઇ એ.એસ.અધિકારી છે..

     વી.આર.ઐસ કૌલગીને સાંભળવા એ લ્હાવો ગણાય..કોહેલ્લો નામના કલેકટર હતા જેમને પદ્મશ્રી મળેલો..જાહેરસેવક માટે આ અપવાદરૂપ ઘટના છે..કોઠાસુઝ, હૈયાઉકલત અને ત્વરિત નિકાલ એ મહેસૂલી અધિકારી માટેનાં આવશ્યક લક્ષણો છે..મોરારજી દેસાઈ પણ રેવન્યૂ ઓફિસર હતા..ક.મા.મુનશીના પિતાશ્રી પણ મામલતદાર હતા..એમના વડવાઓ એટલે કે "ટેકરાના મુનશીઓ" મોટેભાગે મહેસૂલી અધિકારીઓ જ હતા. મુનશી એટલે જ સફળ લેખકની સાથેસાથે એટલા જ સફળ વહીવટદાર પણ હતા...મહેસૂલી અધિકારીઓને વ્યાપક અનુભવો ,જાણકારી,અજાણ્યા પ્રદેશો, પડકારો અને આકસ્મિકતાઓ વચ્ચે રસ્તો કાઢવો પડતો હોય છે એમાં જો શબ્દ ની છટા ભળી જાય તો અવનવા અનુભવોથી વાચક ન્યાલ થઈ જતો હોય છે..
સંકલન

Comments

Ad

Popular posts from this blog

પિતા બનવાનો રોમાંચિત આનંદ ની ક્ષણો.

🙏🏻મિત્રો આજ રોજ તા.11-02-2018 ને રવિવારે મારા ઘરે પુત્ર નો જન્મ થયો. આ સમાચાર મળ્યા ત્યારે આ સમય દરમિયાન મારે એક  પરીક્ષા નું પેપર હોય ત્યાં જવાની કશ્મકસ માં હતો. આ સમાચારે મને રોમાંચિત, આનંદિત કરી મૂક્યો. જાણે રણ ના કોઈ રહેલા છોડ ને જાણે ઝાકળ બુંદ માંથી મળતું બુંદ બુંદ પાણી પણ જીવનદાતા કે પ્રાણદાતા લાગતું હોય અને જાણે મેઘ વરસી પડે ને જેમ છોડ નવી અંગડાઈ મરડી નવા કુંપળો અને નવા ફુલો ની કળીઓ થી મઘમઘી ઉઠેં. મારી માટે પણ આ સમાચાર અને પિતા બનવાની ખુશી જાણે સંજીવની બની રહે એવી માં આશાપુરા ને પ્રાથઁના. વિકાર વૃતિ થી મારી જીવન યાત્રા મા વખ ઘોળનાર  એ સૌને જાણે માં આશાપુરા જાણે જવાજ આપતાઆ હોય અને હંમેશ મારી સાથે છે એવો સંકેત આપતા હોય અને મને નવજીવન આપતાં હોય એવુ લાગ્યું. ઘણીવાર અનિશ્ચિત ભાવી ના ભણકારા હદય ને કંપાવી દેતાં. આ સમય દરમિયાન પુત્ર જન્મ ના સમાચારે જાણે મારા અનેક દદોૅ દુર થઈ ગયા હોય તેવી અનુભૂતિ થઈ. માં આશાપુરા માતાજીના આશિર્વાદ સદાય સાથે રહે તેવી પ્રાર્થના સહ. પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ"). ફરાદી-કચ્છ. 9998839490. prjadeja-shyam.blogspot.in..🙏🅿️

પોસાશે નહીં

પૈસા નો સબંધ -આજની વરવી વાસ્તવિકતા

Https://www.youtube.com/c/KutchiBawaTalentHub prjadeja-shyam.blogspot.in 🙏🏻પૈસા નો સંબંધ 🙏🏻 પૈસા કેરા સૌ સંબંધો, પૈસે વેચાય સંબંધો ને જાત. પૈસા વગર ના કોઈ ઓળખે, તેના વગર બેકાર દીન-રાત. પૈસો હોય તો દોડી-દોડી સૌ આવે, સાચવતા સંબંધ ત્યારે બહુ ફાવે. જરૂરત હતી મારે જ્યારે, સાથ ના મળ્યો કોઈ નો. આશ્ર્વાસન નો હાથ પણ ના લાંબો કયોૅ, જ્યાં સબંધ હતો લોહીનો. મારે ના જોઈએ આવા સબંધો, ના જોઈએ એ ઠગ જાત. મારી જાતને પરસેવે વાવીને, ઉગાડીશ "શ્યામ" ઇમાન ના દીન-રાત..🙏🅿️ મિત્રો મારા દ્વારા લિખિત આ કવિતા, ક્ષત્રિય રાજપુત સમાજના મેગેઝિન રાજકોટ થી પ્રવિણ સિંહજી જાડેજા સાહેબ - સોરીયા દ્વારા પ્રકાશિત "પથ અને પ્રકાશ" ના 2011 ના દીવાળી અંક માં પ્રસિદ્ધ થયેલ. આ કવિતા વિશે લખીયે તો આપણી આસપાસ ઘુમરાતા ઘણાં સબંધો આજે ફકત અને ફક્ત ફોમાઁલીટી ધરાવતા અને લાગણી શૂન્ય બન્યા છે. તો ઘણીવાર ફક્ત રુપિયો અને દંભી સ્ટેટસ ના ભપકાદાર મોભા માંથી આપણે બહાર નથી આવી શકતા કે કોઈ આપણું જ અંગત પણ આર્થિક સંકડામણ ભોગવતા પ્રિયજનો કે પરીજનો ને આપણે હાંસિયામાં ધકેલી ને ફક્ત કહેવાતા મોભાદાર કે પૈસૈ સુખી માણસ ની આસપાસ જ સમ...

🙏🏻જય માતાજી મિત્રો શ્રી કચ્છ કાઠિયાવાડી રાજપૂત સેવા સમાજ(SKKRSS) સાથે સંકલ્પ બેચ 2017 (પી. આઈ. બેચ) થી જોડાવાનો અવસર મળ્યો. આ દરમિયાન સંસ્થા ની પ્રવૃતિઓ થી રુબરુ થવાનો મોકો મળ્યો અને સંસ્થા ની પ્રવૃત્તિ તેમજ તેના મિશન અને વિઝન થી અભિભૂત થઈ મિશન સિંહાસન ની આહલેક ની પોકાર ને જ્ઞાનશક્તિ રુપી રથયાત્રા થી સમાજ ઉત્થાન ની પ્રત્તિબધ્ધતા ને વંદન. ફુલ નહીં તો ફુલ ની પાંદડી સમાન મારા શબ્દો રુપી પુષ્પો થી સંસ્થા ને આ મારી રચના ભાવાપઁણ કરુ છું. પુષ્પરાજ સિંહ જાડેજા("શ્યામ") ફરાદી કચ્છ. 9998839490..🙏🏻🅿

🙏🏻 *"શિક્ષણ ની જ્યોત"* 🙏🏻 શિક્ષણ ની એક જ્યોત જગાવી છે.  સમાજ ઉસ્થાન ની નવી રાહ કંડારી છે.  જ્ઞાન શક્તિ ની અંજલિ ભરી ને,  *Skkrss* (સંસ્થા) ને વટવૃક્ષ બનાવી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે.  ઉંચા સ્વપ્નો ની, અલગ રાહો ની,  નવા ઉદય ની ક્ષિતિજ પ્રસરાવી છે.  ધન્ય થયા સહયોગ થકી દાતાઓ ના,  સંસ્થાએ લાગણી સ્વિકારી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે  'શ્યામ' ભેખ લઈ મિશન સિંહાસન નો,  પોતાની શક્તિ સૌએ લગાડી છે.  કાયઁ સિધ્ધિ ની પ્રાથઁના સરસ્વતી ને,  મંદિર રૂપી કેરીયર એકેડમી બનાવી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે. 🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.(શ્યામ) ફરાદી કચ્છ.  prjadeja09490@gmail.com 9998839490..🙏🏻🅿

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો.