Skip to main content

adcash banner

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ.

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ. 


ધુળનું ઢેંફુ એ જાણે સામાન્ય શબ્દ અને સામાન્ય વિષય લાગે છે નઈ?!!!
 પરંતુ આપણે ધુળના ઢેંફાનું અને અનાયાસે ખેડૂત મનને ઢેંફામાં ચોંટાડીને એવું પિષ્ટપીંજર કરવાનું છે કે ઢેંફા માંથી રસ જ નહિં પરંતુ તેને ધુળ ધુળ કરી માનસ પટલ પર વિખેરી નાંખવાની છે.

બાળપણમાં ધુળ અને ઢેંફાં વચ્ચે ઉછરેલો ખેડૂત સારા વરસના ભાવિ ની કેટલીય આશાઓ સેવીને હળ ખેડતો - ખેડતો, હરખાતાં - હરખાતાં નીકળતાં ઢેંફાઓને જોઈ રહ્યો છે.
જાણે ઢેંફા સાથે સંવાદ કરતાં કહેતો હોય કે ચિંતા ના કર આવતું વરસ તારી તરસને તૃપ્ત કરી તને ફરીથી એજ માટીમાં સમરસ કરી દેશે.
પરંતું જમીનમાં ઢેંફા નીકળવા એ પણ ખેડૂત માટે શું ચિંતાનો વિષય નથી!!!
શું જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઓછા થઈ રહ્યાં છે??
શું જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે??
શું જમીનની ઉત્પાદકતા ઓછી થઈ રહી છે??
આખરે વિતી ગયેલાં નબળાં વરસની હતાશા માં ખેડૂત મનમાં બબડે છે કે!!
"કુકડીનું મોં ઢેંફલે રાજી"
આ કહેવત માફક નાના માણસોને થોડાથી સંતોષ થાય એમ માની ખેડૂત મન મનાવવા પ્રયત્ન કરે છે.

તો માનવ મનની પણ પ્રકૃતિ જાણે પેલાં ધુળના ઢેંફા જેવી ના હોય!!!
જ્યારે આંતરમનનું ઊંડાણથી ખેડાણ કરતાં કેટલાય ક્ષાર રુપી બંધનો સપાટી પર ઉભરી આવે છે.
જે મુક્ત અને મુઠીમાં ભરતાં સરકી જતી માટી જેવાં મનોભાવને ઢેંફાની માફક બાંધી રાખે છે.
આ ક્ષારો જેવાકે  ઈષાઁ, લોભ, નિરાશા, ક્રોધ વગેરે દૂર કરવાં બહું અઘરા છે.
જે મનને એવાં ઢેંફામાં ફેરવી નાંખે છે જેને બંધન મુક્ત કરવાં ઈશ્ર્વરીય સાનિધ્યના અમીછાંટણાંની જરુર પડે છે.
આ અમીછાંટણાઓથી તરબોળ થવું પડે છે.

ખેતરમાં નિકળતું ઢેંફું હોય કે પછી માનસપટલ પર ઉદભવતું ઢેંફું હોય. પરંતુ તેનું સમાયોજન તો ધુળની માફક વિખેરાઇને પ્રવાહીત થઈ જવામાં જ છે!!

ધુળના ઢેંફાની વ્યથા તો પેલો વર્ષા ઋતુમાં ચાતક નજરે આતુરતાથી આકાશ તરફ મીટ માંડીને પરસેવે રેબઝેબ ખેડૂત અને પરસેવાનાં ટીપાંને જીલતું પેલું ઢેંફું જ જાણે!!!
પ્રથમ વર્ષાના સ્પર્શથી મઘમઘી ઉઠતી જમીન પેલાં ઢેંફા ની ખુશીનો સંદેશ લાગે છે.

ઢેંફું જાણે ખેડૂતનાં મનનું પ્રતિબિંબ રજુ કરતું હોય તેમ કેટલીય વાર ધીમેં ધીમેં ક્ષય પામતું જાય છે.
આખરે ધુળના ઢેંફાની આટલી રામાયણ પછી એકજ પ્રશ્ર્ન મનમાં ઉદભવ્યો કે ધુળના ઢેંફાનું શું કર્યું?!!
"ઢેંફું ભાંગીને ધૂળ કરી"!!!!
|| અસ્તુ ||🙏🏻🅿

ધુળના ઢેંફા પરના નિબંધને મારી સમજણ અને યોગ્યતા મુજબ ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.
તમે આને વિશાળ ફલક પર વિસ્તારીને પ્રસ્તુત કરી શકો છો.
ગ્રામરની થોડી ભૂલો ક્ષમ્ય ગણજો અને તે તરફ ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
જય માતાજી
પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ")
ફરાદી-કચ્છ.
9998839490.
YouTube channel
Kutchi Bawa Talent Hub..🙏🏻🅿

Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

સ્વ.ઝાલા મહાવીરસિંહ મંગરૂભા સ્મૃતિ શિષ્યવૃત્તિ - 2018 ફરાદી સ્કૂલ

🙏🏻મિત્રો મારો પ્રાથમિક અભ્યાસ ગામ ની જ સ્કૂલ માં થયો હતો. આ દરમિયાન મને મળલી શિષ્યવૃત્તિ નું ઋણ સ્વિકાર કરી 5 વરસ હું ફુલ નહીં તો ફુલ ની પાંદડી દ્વારા ઋણ મૂક્ત થવા નો સંકલ્પ કર્યો. વષઁ 2014 થી સતત 4 વરસ મારા પિતા શ્રી ના હસ્તે 26 જાન્યુઆરી ના શિષ્યવૃત્તિ વિતરણ જરુરીયાત અને યોગ્ય વિદ્યાર્થીઓ ને આપી. આ વર્ષે ધોરણ 6,7,8 માટે 50 પ્રશ્ર્નો નુ એક પેપર લેવાનું તા. 27/12/17 ના રોજ નક્કી કર્યું. આ દરમિયાન મામા શ્રી સ્વ.ઝાલા મહાવીરસિંહ મેઘપર(ઝાલા) નું દુઃખદ અવસાન થતાં આ પરીક્ષા પેપર ને તેમની સ્મૃતિ સાથે નામ જોડી અને ઋણ સ્વિકાર નો નાનો પ્રયાસ હતો. આ પેપર ના ટાઈપીંગ થી લઈને પ્રિન્ટીંગ સુધી ગામના લાગણીશીલ અને પ્રતિભાશાળી મિત્રો પ્રશાંત મોતા અને અજયસિંહ જાડેજા નો સાથ સહકાર મળ્યો તે બદલ તેઓનો હું ખુબ ખુબ આભારી છું. આ ઉપરાંત ફરાદી પંચાયતી પ્રાથમિક શાળા ના આચાર્ય થી લઈને દરેક શિક્ષકો એ પુરા સાથ સહકાર અને ઉત્સાહ થી સહકાર આપ્યો. આ રીતે 5 વરસ ના શિષ્યવૃત્તિ ઋણ સ્વિકાર નાં સંકલ્પ ને પૂર્ણ કરતાં ખૂબ આનંદ થયો. માં આશાપુરા માતાજીના આશિર્વાદ અને કૃપા હશે તો આગળ ના ભવિષ્યમાં પણ આવા આયોજન નું વિચારશું. પ્રાથમિ...

પિતા બનવાનો રોમાંચિત આનંદ ની ક્ષણો.

🙏🏻મિત્રો આજ રોજ તા.11-02-2018 ને રવિવારે મારા ઘરે પુત્ર નો જન્મ થયો. આ સમાચાર મળ્યા ત્યારે આ સમય દરમિયાન મારે એક  પરીક્ષા નું પેપર હોય ત્યાં જવાની કશ્મકસ માં હતો. આ સમાચારે મને રોમાંચિત, આનંદિત કરી મૂક્યો. જાણે રણ ના કોઈ રહેલા છોડ ને જાણે ઝાકળ બુંદ માંથી મળતું બુંદ બુંદ પાણી પણ જીવનદાતા કે પ્રાણદાતા લાગતું હોય અને જાણે મેઘ વરસી પડે ને જેમ છોડ નવી અંગડાઈ મરડી નવા કુંપળો અને નવા ફુલો ની કળીઓ થી મઘમઘી ઉઠેં. મારી માટે પણ આ સમાચાર અને પિતા બનવાની ખુશી જાણે સંજીવની બની રહે એવી માં આશાપુરા ને પ્રાથઁના. વિકાર વૃતિ થી મારી જીવન યાત્રા મા વખ ઘોળનાર  એ સૌને જાણે માં આશાપુરા જાણે જવાજ આપતાઆ હોય અને હંમેશ મારી સાથે છે એવો સંકેત આપતા હોય અને મને નવજીવન આપતાં હોય એવુ લાગ્યું. ઘણીવાર અનિશ્ચિત ભાવી ના ભણકારા હદય ને કંપાવી દેતાં. આ સમય દરમિયાન પુત્ર જન્મ ના સમાચારે જાણે મારા અનેક દદોૅ દુર થઈ ગયા હોય તેવી અનુભૂતિ થઈ. માં આશાપુરા માતાજીના આશિર્વાદ સદાય સાથે રહે તેવી પ્રાર્થના સહ. પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ"). ફરાદી-કચ્છ. 9998839490. prjadeja-shyam.blogspot.in..🙏🅿️

પોસાશે નહીં

પૈસા નો સબંધ -આજની વરવી વાસ્તવિકતા

Https://www.youtube.com/c/KutchiBawaTalentHub prjadeja-shyam.blogspot.in 🙏🏻પૈસા નો સંબંધ 🙏🏻 પૈસા કેરા સૌ સંબંધો, પૈસે વેચાય સંબંધો ને જાત. પૈસા વગર ના કોઈ ઓળખે, તેના વગર બેકાર દીન-રાત. પૈસો હોય તો દોડી-દોડી સૌ આવે, સાચવતા સંબંધ ત્યારે બહુ ફાવે. જરૂરત હતી મારે જ્યારે, સાથ ના મળ્યો કોઈ નો. આશ્ર્વાસન નો હાથ પણ ના લાંબો કયોૅ, જ્યાં સબંધ હતો લોહીનો. મારે ના જોઈએ આવા સબંધો, ના જોઈએ એ ઠગ જાત. મારી જાતને પરસેવે વાવીને, ઉગાડીશ "શ્યામ" ઇમાન ના દીન-રાત..🙏🅿️ મિત્રો મારા દ્વારા લિખિત આ કવિતા, ક્ષત્રિય રાજપુત સમાજના મેગેઝિન રાજકોટ થી પ્રવિણ સિંહજી જાડેજા સાહેબ - સોરીયા દ્વારા પ્રકાશિત "પથ અને પ્રકાશ" ના 2011 ના દીવાળી અંક માં પ્રસિદ્ધ થયેલ. આ કવિતા વિશે લખીયે તો આપણી આસપાસ ઘુમરાતા ઘણાં સબંધો આજે ફકત અને ફક્ત ફોમાઁલીટી ધરાવતા અને લાગણી શૂન્ય બન્યા છે. તો ઘણીવાર ફક્ત રુપિયો અને દંભી સ્ટેટસ ના ભપકાદાર મોભા માંથી આપણે બહાર નથી આવી શકતા કે કોઈ આપણું જ અંગત પણ આર્થિક સંકડામણ ભોગવતા પ્રિયજનો કે પરીજનો ને આપણે હાંસિયામાં ધકેલી ને ફક્ત કહેવાતા મોભાદાર કે પૈસૈ સુખી માણસ ની આસપાસ જ સમ...