Skip to main content

adcash banner

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ.

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ. 


ધુળનું ઢેંફુ એ જાણે સામાન્ય શબ્દ અને સામાન્ય વિષય લાગે છે નઈ?!!!
 પરંતુ આપણે ધુળના ઢેંફાનું અને અનાયાસે ખેડૂત મનને ઢેંફામાં ચોંટાડીને એવું પિષ્ટપીંજર કરવાનું છે કે ઢેંફા માંથી રસ જ નહિં પરંતુ તેને ધુળ ધુળ કરી માનસ પટલ પર વિખેરી નાંખવાની છે.

બાળપણમાં ધુળ અને ઢેંફાં વચ્ચે ઉછરેલો ખેડૂત સારા વરસના ભાવિ ની કેટલીય આશાઓ સેવીને હળ ખેડતો - ખેડતો, હરખાતાં - હરખાતાં નીકળતાં ઢેંફાઓને જોઈ રહ્યો છે.
જાણે ઢેંફા સાથે સંવાદ કરતાં કહેતો હોય કે ચિંતા ના કર આવતું વરસ તારી તરસને તૃપ્ત કરી તને ફરીથી એજ માટીમાં સમરસ કરી દેશે.
પરંતું જમીનમાં ઢેંફા નીકળવા એ પણ ખેડૂત માટે શું ચિંતાનો વિષય નથી!!!
શું જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઓછા થઈ રહ્યાં છે??
શું જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે??
શું જમીનની ઉત્પાદકતા ઓછી થઈ રહી છે??
આખરે વિતી ગયેલાં નબળાં વરસની હતાશા માં ખેડૂત મનમાં બબડે છે કે!!
"કુકડીનું મોં ઢેંફલે રાજી"
આ કહેવત માફક નાના માણસોને થોડાથી સંતોષ થાય એમ માની ખેડૂત મન મનાવવા પ્રયત્ન કરે છે.

તો માનવ મનની પણ પ્રકૃતિ જાણે પેલાં ધુળના ઢેંફા જેવી ના હોય!!!
જ્યારે આંતરમનનું ઊંડાણથી ખેડાણ કરતાં કેટલાય ક્ષાર રુપી બંધનો સપાટી પર ઉભરી આવે છે.
જે મુક્ત અને મુઠીમાં ભરતાં સરકી જતી માટી જેવાં મનોભાવને ઢેંફાની માફક બાંધી રાખે છે.
આ ક્ષારો જેવાકે  ઈષાઁ, લોભ, નિરાશા, ક્રોધ વગેરે દૂર કરવાં બહું અઘરા છે.
જે મનને એવાં ઢેંફામાં ફેરવી નાંખે છે જેને બંધન મુક્ત કરવાં ઈશ્ર્વરીય સાનિધ્યના અમીછાંટણાંની જરુર પડે છે.
આ અમીછાંટણાઓથી તરબોળ થવું પડે છે.

ખેતરમાં નિકળતું ઢેંફું હોય કે પછી માનસપટલ પર ઉદભવતું ઢેંફું હોય. પરંતુ તેનું સમાયોજન તો ધુળની માફક વિખેરાઇને પ્રવાહીત થઈ જવામાં જ છે!!

ધુળના ઢેંફાની વ્યથા તો પેલો વર્ષા ઋતુમાં ચાતક નજરે આતુરતાથી આકાશ તરફ મીટ માંડીને પરસેવે રેબઝેબ ખેડૂત અને પરસેવાનાં ટીપાંને જીલતું પેલું ઢેંફું જ જાણે!!!
પ્રથમ વર્ષાના સ્પર્શથી મઘમઘી ઉઠતી જમીન પેલાં ઢેંફા ની ખુશીનો સંદેશ લાગે છે.

ઢેંફું જાણે ખેડૂતનાં મનનું પ્રતિબિંબ રજુ કરતું હોય તેમ કેટલીય વાર ધીમેં ધીમેં ક્ષય પામતું જાય છે.
આખરે ધુળના ઢેંફાની આટલી રામાયણ પછી એકજ પ્રશ્ર્ન મનમાં ઉદભવ્યો કે ધુળના ઢેંફાનું શું કર્યું?!!
"ઢેંફું ભાંગીને ધૂળ કરી"!!!!
|| અસ્તુ ||🙏🏻🅿

ધુળના ઢેંફા પરના નિબંધને મારી સમજણ અને યોગ્યતા મુજબ ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.
તમે આને વિશાળ ફલક પર વિસ્તારીને પ્રસ્તુત કરી શકો છો.
ગ્રામરની થોડી ભૂલો ક્ષમ્ય ગણજો અને તે તરફ ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
જય માતાજી
પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ")
ફરાદી-કચ્છ.
9998839490.
YouTube channel
Kutchi Bawa Talent Hub..🙏🏻🅿

Comments

Ad

Popular posts from this blog

પિતા બનવાનો રોમાંચિત આનંદ ની ક્ષણો.

🙏🏻મિત્રો આજ રોજ તા.11-02-2018 ને રવિવારે મારા ઘરે પુત્ર નો જન્મ થયો. આ સમાચાર મળ્યા ત્યારે આ સમય દરમિયાન મારે એક  પરીક્ષા નું પેપર હોય ત્યાં જવાની કશ્મકસ માં હતો. આ સમાચારે મને રોમાંચિત, આનંદિત કરી મૂક્યો. જાણે રણ ના કોઈ રહેલા છોડ ને જાણે ઝાકળ બુંદ માંથી મળતું બુંદ બુંદ પાણી પણ જીવનદાતા કે પ્રાણદાતા લાગતું હોય અને જાણે મેઘ વરસી પડે ને જેમ છોડ નવી અંગડાઈ મરડી નવા કુંપળો અને નવા ફુલો ની કળીઓ થી મઘમઘી ઉઠેં. મારી માટે પણ આ સમાચાર અને પિતા બનવાની ખુશી જાણે સંજીવની બની રહે એવી માં આશાપુરા ને પ્રાથઁના. વિકાર વૃતિ થી મારી જીવન યાત્રા મા વખ ઘોળનાર  એ સૌને જાણે માં આશાપુરા જાણે જવાજ આપતાઆ હોય અને હંમેશ મારી સાથે છે એવો સંકેત આપતા હોય અને મને નવજીવન આપતાં હોય એવુ લાગ્યું. ઘણીવાર અનિશ્ચિત ભાવી ના ભણકારા હદય ને કંપાવી દેતાં. આ સમય દરમિયાન પુત્ર જન્મ ના સમાચારે જાણે મારા અનેક દદોૅ દુર થઈ ગયા હોય તેવી અનુભૂતિ થઈ. માં આશાપુરા માતાજીના આશિર્વાદ સદાય સાથે રહે તેવી પ્રાર્થના સહ. પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ"). ફરાદી-કચ્છ. 9998839490. prjadeja-shyam.blogspot.in..🙏🅿️

પોસાશે નહીં

પૈસા નો સબંધ -આજની વરવી વાસ્તવિકતા

Https://www.youtube.com/c/KutchiBawaTalentHub prjadeja-shyam.blogspot.in 🙏🏻પૈસા નો સંબંધ 🙏🏻 પૈસા કેરા સૌ સંબંધો, પૈસે વેચાય સંબંધો ને જાત. પૈસા વગર ના કોઈ ઓળખે, તેના વગર બેકાર દીન-રાત. પૈસો હોય તો દોડી-દોડી સૌ આવે, સાચવતા સંબંધ ત્યારે બહુ ફાવે. જરૂરત હતી મારે જ્યારે, સાથ ના મળ્યો કોઈ નો. આશ્ર્વાસન નો હાથ પણ ના લાંબો કયોૅ, જ્યાં સબંધ હતો લોહીનો. મારે ના જોઈએ આવા સબંધો, ના જોઈએ એ ઠગ જાત. મારી જાતને પરસેવે વાવીને, ઉગાડીશ "શ્યામ" ઇમાન ના દીન-રાત..🙏🅿️ મિત્રો મારા દ્વારા લિખિત આ કવિતા, ક્ષત્રિય રાજપુત સમાજના મેગેઝિન રાજકોટ થી પ્રવિણ સિંહજી જાડેજા સાહેબ - સોરીયા દ્વારા પ્રકાશિત "પથ અને પ્રકાશ" ના 2011 ના દીવાળી અંક માં પ્રસિદ્ધ થયેલ. આ કવિતા વિશે લખીયે તો આપણી આસપાસ ઘુમરાતા ઘણાં સબંધો આજે ફકત અને ફક્ત ફોમાઁલીટી ધરાવતા અને લાગણી શૂન્ય બન્યા છે. તો ઘણીવાર ફક્ત રુપિયો અને દંભી સ્ટેટસ ના ભપકાદાર મોભા માંથી આપણે બહાર નથી આવી શકતા કે કોઈ આપણું જ અંગત પણ આર્થિક સંકડામણ ભોગવતા પ્રિયજનો કે પરીજનો ને આપણે હાંસિયામાં ધકેલી ને ફક્ત કહેવાતા મોભાદાર કે પૈસૈ સુખી માણસ ની આસપાસ જ સમ...

🙏🏻જય માતાજી મિત્રો શ્રી કચ્છ કાઠિયાવાડી રાજપૂત સેવા સમાજ(SKKRSS) સાથે સંકલ્પ બેચ 2017 (પી. આઈ. બેચ) થી જોડાવાનો અવસર મળ્યો. આ દરમિયાન સંસ્થા ની પ્રવૃતિઓ થી રુબરુ થવાનો મોકો મળ્યો અને સંસ્થા ની પ્રવૃત્તિ તેમજ તેના મિશન અને વિઝન થી અભિભૂત થઈ મિશન સિંહાસન ની આહલેક ની પોકાર ને જ્ઞાનશક્તિ રુપી રથયાત્રા થી સમાજ ઉત્થાન ની પ્રત્તિબધ્ધતા ને વંદન. ફુલ નહીં તો ફુલ ની પાંદડી સમાન મારા શબ્દો રુપી પુષ્પો થી સંસ્થા ને આ મારી રચના ભાવાપઁણ કરુ છું. પુષ્પરાજ સિંહ જાડેજા("શ્યામ") ફરાદી કચ્છ. 9998839490..🙏🏻🅿

🙏🏻 *"શિક્ષણ ની જ્યોત"* 🙏🏻 શિક્ષણ ની એક જ્યોત જગાવી છે.  સમાજ ઉસ્થાન ની નવી રાહ કંડારી છે.  જ્ઞાન શક્તિ ની અંજલિ ભરી ને,  *Skkrss* (સંસ્થા) ને વટવૃક્ષ બનાવી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે.  ઉંચા સ્વપ્નો ની, અલગ રાહો ની,  નવા ઉદય ની ક્ષિતિજ પ્રસરાવી છે.  ધન્ય થયા સહયોગ થકી દાતાઓ ના,  સંસ્થાએ લાગણી સ્વિકારી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે  'શ્યામ' ભેખ લઈ મિશન સિંહાસન નો,  પોતાની શક્તિ સૌએ લગાડી છે.  કાયઁ સિધ્ધિ ની પ્રાથઁના સરસ્વતી ને,  મંદિર રૂપી કેરીયર એકેડમી બનાવી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે. 🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.(શ્યામ) ફરાદી કચ્છ.  prjadeja09490@gmail.com 9998839490..🙏🏻🅿

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો.