Skip to main content

adcash banner

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ.

ધુળનું ઢેંફુ :ખેતરથી ખેડૂતના મનનું ખેડાણ. 


ધુળનું ઢેંફુ એ જાણે સામાન્ય શબ્દ અને સામાન્ય વિષય લાગે છે નઈ?!!!
 પરંતુ આપણે ધુળના ઢેંફાનું અને અનાયાસે ખેડૂત મનને ઢેંફામાં ચોંટાડીને એવું પિષ્ટપીંજર કરવાનું છે કે ઢેંફા માંથી રસ જ નહિં પરંતુ તેને ધુળ ધુળ કરી માનસ પટલ પર વિખેરી નાંખવાની છે.

બાળપણમાં ધુળ અને ઢેંફાં વચ્ચે ઉછરેલો ખેડૂત સારા વરસના ભાવિ ની કેટલીય આશાઓ સેવીને હળ ખેડતો - ખેડતો, હરખાતાં - હરખાતાં નીકળતાં ઢેંફાઓને જોઈ રહ્યો છે.
જાણે ઢેંફા સાથે સંવાદ કરતાં કહેતો હોય કે ચિંતા ના કર આવતું વરસ તારી તરસને તૃપ્ત કરી તને ફરીથી એજ માટીમાં સમરસ કરી દેશે.
પરંતું જમીનમાં ઢેંફા નીકળવા એ પણ ખેડૂત માટે શું ચિંતાનો વિષય નથી!!!
શું જમીનમાં સેન્દ્રીય પદાર્થો ઓછા થઈ રહ્યાં છે??
શું જમીનમાં ક્ષારનું પ્રમાણ વધી રહ્યું છે??
શું જમીનની ઉત્પાદકતા ઓછી થઈ રહી છે??
આખરે વિતી ગયેલાં નબળાં વરસની હતાશા માં ખેડૂત મનમાં બબડે છે કે!!
"કુકડીનું મોં ઢેંફલે રાજી"
આ કહેવત માફક નાના માણસોને થોડાથી સંતોષ થાય એમ માની ખેડૂત મન મનાવવા પ્રયત્ન કરે છે.

તો માનવ મનની પણ પ્રકૃતિ જાણે પેલાં ધુળના ઢેંફા જેવી ના હોય!!!
જ્યારે આંતરમનનું ઊંડાણથી ખેડાણ કરતાં કેટલાય ક્ષાર રુપી બંધનો સપાટી પર ઉભરી આવે છે.
જે મુક્ત અને મુઠીમાં ભરતાં સરકી જતી માટી જેવાં મનોભાવને ઢેંફાની માફક બાંધી રાખે છે.
આ ક્ષારો જેવાકે  ઈષાઁ, લોભ, નિરાશા, ક્રોધ વગેરે દૂર કરવાં બહું અઘરા છે.
જે મનને એવાં ઢેંફામાં ફેરવી નાંખે છે જેને બંધન મુક્ત કરવાં ઈશ્ર્વરીય સાનિધ્યના અમીછાંટણાંની જરુર પડે છે.
આ અમીછાંટણાઓથી તરબોળ થવું પડે છે.

ખેતરમાં નિકળતું ઢેંફું હોય કે પછી માનસપટલ પર ઉદભવતું ઢેંફું હોય. પરંતુ તેનું સમાયોજન તો ધુળની માફક વિખેરાઇને પ્રવાહીત થઈ જવામાં જ છે!!

ધુળના ઢેંફાની વ્યથા તો પેલો વર્ષા ઋતુમાં ચાતક નજરે આતુરતાથી આકાશ તરફ મીટ માંડીને પરસેવે રેબઝેબ ખેડૂત અને પરસેવાનાં ટીપાંને જીલતું પેલું ઢેંફું જ જાણે!!!
પ્રથમ વર્ષાના સ્પર્શથી મઘમઘી ઉઠતી જમીન પેલાં ઢેંફા ની ખુશીનો સંદેશ લાગે છે.

ઢેંફું જાણે ખેડૂતનાં મનનું પ્રતિબિંબ રજુ કરતું હોય તેમ કેટલીય વાર ધીમેં ધીમેં ક્ષય પામતું જાય છે.
આખરે ધુળના ઢેંફાની આટલી રામાયણ પછી એકજ પ્રશ્ર્ન મનમાં ઉદભવ્યો કે ધુળના ઢેંફાનું શું કર્યું?!!
"ઢેંફું ભાંગીને ધૂળ કરી"!!!!
|| અસ્તુ ||🙏🏻🅿

ધુળના ઢેંફા પરના નિબંધને મારી સમજણ અને યોગ્યતા મુજબ ન્યાય આપવાનો પ્રયાસ કર્યો છે.
તમે આને વિશાળ ફલક પર વિસ્તારીને પ્રસ્તુત કરી શકો છો.
ગ્રામરની થોડી ભૂલો ક્ષમ્ય ગણજો અને તે તરફ ધ્યાન દોરવા નમ્ર વિનંતી છે.
જય માતાજી
પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ")
ફરાદી-કચ્છ.
9998839490.
YouTube channel
Kutchi Bawa Talent Hub..🙏🏻🅿

Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

પોસાશે નહીં

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત : ����વિશ્વાસઘાત���� વિશ્વાસ કયોૅ જેના પર, તે વિશ્વાસઘાતીય નીકળે છે. દોસ્તો જ ઘણીવાર, દુશ્મન પણ નીકળે છે. હસતા ચહેરા પાછળ ક્યારેક, ઉ...

શરદ પુનમની રાત : અનેક સંસ્મરણો સાથ

🙏🏻શરદ પુનમ🌝ની આજરાત્રીના☄ ચંદ્રમા🌕 ને જોઈને મને એક ખૂણામાં ટમ-ટમ બળતાં દીવા🕯 ની યાદ આવી ગઈ. કેટલો વૈભવ💥💫 હતો તેની એ 🔥જ્યોતમાં કે, એક આખાં 🏬ઘરનાં અંધકારને ઊલેચીનેં ફેંકી દેતો..🌝🌚🌕🙏🏻🅿 Dt.-24/10/2018 12:30 🌐www.Prjadeja-shyam.blogspot.in 🌐Https://youtube.com/c/KutchiBawaTalentHub

ખેડૂતમિત્રો શું તમારો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો આવી ચુક્યો છે? તમારો હપ્તો ચેક કરો સરળ રીતે. પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિ(6000rs)માં તમારાં ગ્રામના લાભાર્થીઓનું લીસ્ટ ચેક કરો. Pmkisan sanman nidhi yojana Check the direct name. See a list of each village here. Check your status

Pmkisan yojana ખેડૂતમિત્રો Pmkisan yojanaનો આ મહીનાનો 2000નો હપ્તો ચેક કરવા માટેના સ્ટેપ. 1) આપેલ લિંક પર ક્લિક કરો.  2) આપેલ ફોટોમાં દર્શાવેલ મેનુ ખૂલશે.  3) ત્રણ ઓપ્શન           (1)આધાર નંબર          (2)એકાઉન્ટ નંબર           (3)મોબાઈલ નંબર  આપેલ ત્રણમાંથી એક વિકલ્પ પસંદ કરી ભરો.  4) આપેલ ફોટો મુજબ જમા થયેલ 2000રુ ની વિગતો દર્શાવશે જે આપ પ્રિન્ટ આઉટ પણ કાઢી શકો છો...  Check your beneficiary status Pmkisan yojana 🔊પ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિમાં દરેક ગામના લાભાર્થીઓનું લીસ્ટ જોવા માટે આપેલ લિંકમાં રાજ્ય, જિલ્લો, તાલુકો, ગામ પસંદ કરો ડાયરેકટ નામ ચેક કરો. દરેક ગામનું લિસ્ટ અંહી જોવો.  📲મોબાઈલ નંબર, એકાઉન્ટ નંબર અથવા આધાર નંબર આધારિત તમારું લાભાર્થી તરીકેનું સ્ટેટસ તપાસો.   આપેલ લિંક પર  ક્લિક કરો . ⏬ https://pmkisan.gov.in/BeneficiaryStatus.aspx ➡️Select the state, district, taluka, village in the given link to see the list of beneficiaries of each village...