Skip to main content

adcash banner

"ઝાલાવંશ દિવાકર" અને તરણેતરનો ભાતીગળ મેળો.

"ઝાલાવંશ દિવાકર" અને તરણેતરનો ભાતીગળ મેળો.




ગુજરાત અને ભારતનો સૌથી પ્રખ્યાત મેળો એટલે તરણેતરનો મેળો.
લોકજીવનનાં રંગ, ઉમંગ અને વિશિષ્ટતાઓનું પ્રતિબિંબ એટલે તરણેતરનો મેળો.
ભાદરવા સુદ 4-5-6 એમ ત્રણ દિવસનું લોક સંસ્કૃતિનું નમુનારુપ નજરાણું એટલે તરણેતરનો મેળો.
તો ચાલો આપણે જાણીએ તરણેતરના મેળાનો ઈતિહાસ કાબીલ કલમના કસબી એવા મારા પરમમિત્ર ધમઁરાજસિંહ વાઘેલા(છબાસર) _"અજાન"ની કલમે.







"ત્રિનેત્રેશ્વર (તરણેતર) મહાદેવ ના મંદિરના જીર્ણોદ્ધારક 
નામદાર લખતર ઠાકોર સાહેબ શ્રી કરણસિંહજી બાપુ"

https://youtube.com/c/KutchiBawaTalentHub

 મિત્રો હાલ માં તરણેતર ના મેળા નો શુભારંભ થઇ ગયો છે આ મેળો પોતાની આગવી ઓળખ ધરાવે છે અને ભાતીગર સંસ્કૃતિ ની જાખી કરાવતો વિશ્વ ભરમાં પ્રસિદ્ધ છે. 
આ મેળો ભારતના મોટા મેળાઓ માનો એક છે અને તે જે ધરતી પર ભરાય છે તે ધરતી એટલે પાંચાળ એના વીશે અનેક દુહાઓ લોક સાહિત્ય માં પ્રસિદ્ધ છે....

"નદી ખડકે નિર્જરા, મલપતા પીએ માલ ;
ગાળે કસુંબા ગોવાળિયા, પડ જોવો પાંચાળ.
ખડ પાણીને ખાખરા, ધરતી લાંપડીયાળ;
વગર દીવે વાળુ કરે, પડ જોવો પાંચાળ."

આમ આ પાંચાળનો મોટો ભાગ જેના રાજ્યની હદમાં હતો એવા ઝાલાકુળ ભૂષણ લખતરના ધણી દેવાયાતી અને પવિત્રપુરુષ નામદાર ઠાકોર કરણસિંહજી કે જેમનું ગૌરવ સમસ્ત ક્ષાત્રસમાજ લઇશકે, ઠાકોર શ્રી કરણસિંહજી પાંચ મહિનાની બાળવયે લખતરની ગાદી પર તખ્તનશીન થયા હતા ત્યારે તા. ૧૫-૬-૧૮૪૬નો દિવસ હતો અને ઈ.સ. ૧૯૨૪ નારોજ તેમનો કૈલાશવાસ આ દરમિયાન એમનું પવિત્ર જીવન અને પવિત્ર કર્યો.

તેમણે સંવત ૧૯૪૦ના ફાગણ વદી ૧ના રોજ લખતર કિલ્લો બંધાવવો શરૃ કરેલો. જે સંવત ૧૯૫૦ના આસો સુદી ૧૦ના દિવસે પૂરો થયો હતો, જેમાં રૃ. ૧ લાખનો ખર્ચ થયો હતો. આ સિવાય તેમણે અનેક લોક ઉપયોગી કર્યો કર્યાં હતા.. 

🙏 તરણેતરનો ટુંકો ઈતિહાસ 🙏 

ભારતભર માં ત્રિનેત્રેશ્વર મહાદેવ ના માત્ર બે મંદિરો છે. 
(૧) તરણેતર નું ત્રિનેત્રેશ્વર મહાદેવ, અને 
(૨) હિમાલય માં બદ્રીકાશ્રમ પાસેનું ત્રીનેત્રતીર્થ. 
બંને શિવાલયો પ્રાચીન તેમજ પૂજનીય છે.
તરણેતર મંદીરની સ્થાપના વિશે લોકવાયકા છે કે અયોધ્યાનાં સૂર્યવંશી રાજા યુવનાશ્વ નિ:સંતાન હોવાથી તેણે તેમના ગુરુ વશિષ્ઠના સુચનથી યજ્ઞ કર્યો હતો. તેના તપોબળે તેમને ત્યાં પુત્રનો જન્મ થયો હતો જેનું નામ મંધાતા હતુ. અને આ તરણેતરનું મંદીર મંધાતા એ બંધાવેલ હતું. તે ઉપરાંત આ મંદીર સાથે એક એવી વાત પણ જોડાયેલ છે જે મહાભારતકાળની છે. તે સમયે દ્રુપદ નગરી પાંચાળમાં હતી. મહાભારતની કથા અનુસાર દ્રુપદની પુત્રી દ્રૌપદી નો સ્વયંવર તરણેતરમાં યોજવામાં આવેલ હતો. તે સમયે બ્રાહ્મણના વેશમાં પાંડવો સ્વયંવરમાં આવેલા અને અત્યારે આ સ્થળ ઉપર જે કુંડ આવેલ છે, તેમાં અર્જુન દ્વારા મત્સવેદ થયો હતો. અને આ રીતે દ્રૌપદીનાં વિવાહનો પ્રંસંગ જોડાયેલો છે.
ઐતિહાસિક રીતે જોઈએ તો તરણેતરનું મંદીર દસમી સદીનું હોવાની શકયતા મંદીરની શૈલી ગુર્જર પ્રતિહાર પ્રકારની હોવાથી સંશોધનકારો કહે છે. કારણકે પ્રતિહાર રાજાઓ શિવાલયો બાંધવાના શોખીન હતા. જેથી તેઓએ આ મંદીરનો જીર્ણોધાર કરાવ્યો હોય. આમ પણ પ્રતિહાર રાજાઓ આઠમી સદીમાં સૌરાષ્ટ્રમાં આવ્યા હોય તેવા પ્રમાણો ઇતિહાસમાં મળે છે. અત્યારનું જે મંદીર છે પ્રાચીન મંદિરનો જીણોદ્ધાર લખતર ના રાજવી ‘કરણસિંહજી’ એ ઇ.સ.૧૯૦૨ની સાલમાં ઓગષ્ટ મહિનામાં કરાવ્યો હતો.તરણેતર અને થાન પંથક તે વખતે લખતર રાજની હકુમત નીચે હતા.પુત્રી કરણબાના સ્મરણાર્થે રૂ.૫૦ હજારના ખર્ચે કરણસિંહજીએ નવું મંદિર બંધાવ્યું હતું.નવનિર્માણ પામેલું મંદિર એટલે અત્યારનું શિવાલય.મંદીરનો ઘાટ જુનો છે. તેના ઉપર નવા મંદીરની બાંધણી થઈ છે. આ મંદીરથી થોડુ દુર તરણેતર ગામ આવેલું છે. આ મંદીર પાસે ૧૦૦ વીઘા જેવી ખેતીની જમીન છે જે લખતર રાજ્ય દ્વારા આપેલ હતી.

તરણેતરના મંદિરમાં બે શિવલિંગ છે.જાણકારોના કહેવા મુજબ મોટું શિવલિંગ પ્રાચીન છે.તેની બાજુમાં આવેલા પ્રમાણમાં નાના શિવલીંગની કરણસિંહજી એ જીણોદ્ધાર કર્યો ત્યારે પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.મંદિરના ઘુમ્મટની ચારે દીવાલે નવગ્રહની મૂર્તિઓ કોતરેલી છે.છતમાં એક અદભુત શિલ્પ છે.તેમાં વચ્ચે માત્ર એક મસ્તક અને તેની આસપાસ પાંચ ધડ વર્તુળાકાર માં ગોઠવાયેલાં છે.કોઈપણ બાજુથી જોઈએ તો પાંચે ધાડના મસ્તક દેખાય.શિલ્પના લાલિત્ય અને અંગભાગીમાં મોહક તથા મનોહર છે.
મંદીરની ત્રણ બાજુ કુંડ છે.તેને વિષ્ણુકુંડ,શિવકુંડ અને બ્રહ્મકુંડ એમ ત્રણ આધ્યદેવો ના નામ જોડ્યા છે.મંદિરની ચોતરફ ઉંચો ગઢ છે.એક માન્યતા પ્રમાણે પ્રાચીન મંદિરોના અવશેષોને આ ગઢમાં ચાની લેવામાં આવ્યા છે.એક એકર જમીન પર ઉભેલું મંદિર પ્રમાણમાં નાનું છે,પણ તેની કોતરણી અનુપમ છે.ચારેબાજુ ઉંચો ગઢ અને વચ્ચે મંદિર જમીન નીચે ઉતાર્યું છે,તેથી સુકી હવા અને પવનની થપાડો સામે સુરક્ષિત રહી શકે તથા મંદિરની બાજુમાં ગૌમુખી બારી પણ છે.શિખર પર ત્રણ દિશામાં તરાપ મારીને નીચે ઉતરતા સિંહોના શિલ્પમાં જાણે કે શિલ્પીઓએ જીવરેડી દીધો હોય તેવું અદભુત છે. 
આપ રાજપૂતો ની કીર્તિ અને ધર્મરક્ષક ના દાઈત્વ ને ચરિતાર્થ કરતુ આ મંદિર ખરેખર નિહાળવા જેવું છે અને ત્યાનો મેળો પણ અદ્ભુત છે, 

લેખક : ધર્મરાજસિંહ વાઘેલા (છબાસર)_"અજાન"ના સહયોગથી પ્રકાશિત..🙏🅿️

🌐Https //wordpress.com/KutchiBawaTalentHub




Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

સ્વ.ઝાલા મહાવીરસિંહ મંગરૂભા સ્મૃતિ શિષ્યવૃત્તિ - 2018 ફરાદી સ્કૂલ

🙏🏻મિત્રો મારો પ્રાથમિક અભ્યાસ ગામ ની જ સ્કૂલ માં થયો હતો. આ દરમિયાન મને મળલી શિષ્યવૃત્તિ નું ઋણ સ્વિકાર કરી 5 વરસ હું ફુલ નહીં તો ફુલ ની પાંદડી દ્વારા ઋણ મૂક્ત થવા નો સંકલ્પ કર્યો. વષઁ 2014 થી સતત 4 વરસ મારા પિતા શ્રી ના હસ્તે 26 જાન્યુઆરી ના શિષ્યવૃત્તિ વિતરણ જરુરીયાત અને યોગ્ય વિદ્યાર્થીઓ ને આપી. આ વર્ષે ધોરણ 6,7,8 માટે 50 પ્રશ્ર્નો નુ એક પેપર લેવાનું તા. 27/12/17 ના રોજ નક્કી કર્યું. આ દરમિયાન મામા શ્રી સ્વ.ઝાલા મહાવીરસિંહ મેઘપર(ઝાલા) નું દુઃખદ અવસાન થતાં આ પરીક્ષા પેપર ને તેમની સ્મૃતિ સાથે નામ જોડી અને ઋણ સ્વિકાર નો નાનો પ્રયાસ હતો. આ પેપર ના ટાઈપીંગ થી લઈને પ્રિન્ટીંગ સુધી ગામના લાગણીશીલ અને પ્રતિભાશાળી મિત્રો પ્રશાંત મોતા અને અજયસિંહ જાડેજા નો સાથ સહકાર મળ્યો તે બદલ તેઓનો હું ખુબ ખુબ આભારી છું. આ ઉપરાંત ફરાદી પંચાયતી પ્રાથમિક શાળા ના આચાર્ય થી લઈને દરેક શિક્ષકો એ પુરા સાથ સહકાર અને ઉત્સાહ થી સહકાર આપ્યો. આ રીતે 5 વરસ ના શિષ્યવૃત્તિ ઋણ સ્વિકાર નાં સંકલ્પ ને પૂર્ણ કરતાં ખૂબ આનંદ થયો. માં આશાપુરા માતાજીના આશિર્વાદ અને કૃપા હશે તો આગળ ના ભવિષ્યમાં પણ આવા આયોજન નું વિચારશું. પ્રાથમિ...

પિતા બનવાનો રોમાંચિત આનંદ ની ક્ષણો.

🙏🏻મિત્રો આજ રોજ તા.11-02-2018 ને રવિવારે મારા ઘરે પુત્ર નો જન્મ થયો. આ સમાચાર મળ્યા ત્યારે આ સમય દરમિયાન મારે એક  પરીક્ષા નું પેપર હોય ત્યાં જવાની કશ્મકસ માં હતો. આ સમાચારે મને રોમાંચિત, આનંદિત કરી મૂક્યો. જાણે રણ ના કોઈ રહેલા છોડ ને જાણે ઝાકળ બુંદ માંથી મળતું બુંદ બુંદ પાણી પણ જીવનદાતા કે પ્રાણદાતા લાગતું હોય અને જાણે મેઘ વરસી પડે ને જેમ છોડ નવી અંગડાઈ મરડી નવા કુંપળો અને નવા ફુલો ની કળીઓ થી મઘમઘી ઉઠેં. મારી માટે પણ આ સમાચાર અને પિતા બનવાની ખુશી જાણે સંજીવની બની રહે એવી માં આશાપુરા ને પ્રાથઁના. વિકાર વૃતિ થી મારી જીવન યાત્રા મા વખ ઘોળનાર  એ સૌને જાણે માં આશાપુરા જાણે જવાજ આપતાઆ હોય અને હંમેશ મારી સાથે છે એવો સંકેત આપતા હોય અને મને નવજીવન આપતાં હોય એવુ લાગ્યું. ઘણીવાર અનિશ્ચિત ભાવી ના ભણકારા હદય ને કંપાવી દેતાં. આ સમય દરમિયાન પુત્ર જન્મ ના સમાચારે જાણે મારા અનેક દદોૅ દુર થઈ ગયા હોય તેવી અનુભૂતિ થઈ. માં આશાપુરા માતાજીના આશિર્વાદ સદાય સાથે રહે તેવી પ્રાર્થના સહ. પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ"). ફરાદી-કચ્છ. 9998839490. prjadeja-shyam.blogspot.in..🙏🅿️

પોસાશે નહીં

પૈસા નો સબંધ -આજની વરવી વાસ્તવિકતા

Https://www.youtube.com/c/KutchiBawaTalentHub prjadeja-shyam.blogspot.in 🙏🏻પૈસા નો સંબંધ 🙏🏻 પૈસા કેરા સૌ સંબંધો, પૈસે વેચાય સંબંધો ને જાત. પૈસા વગર ના કોઈ ઓળખે, તેના વગર બેકાર દીન-રાત. પૈસો હોય તો દોડી-દોડી સૌ આવે, સાચવતા સંબંધ ત્યારે બહુ ફાવે. જરૂરત હતી મારે જ્યારે, સાથ ના મળ્યો કોઈ નો. આશ્ર્વાસન નો હાથ પણ ના લાંબો કયોૅ, જ્યાં સબંધ હતો લોહીનો. મારે ના જોઈએ આવા સબંધો, ના જોઈએ એ ઠગ જાત. મારી જાતને પરસેવે વાવીને, ઉગાડીશ "શ્યામ" ઇમાન ના દીન-રાત..🙏🅿️ મિત્રો મારા દ્વારા લિખિત આ કવિતા, ક્ષત્રિય રાજપુત સમાજના મેગેઝિન રાજકોટ થી પ્રવિણ સિંહજી જાડેજા સાહેબ - સોરીયા દ્વારા પ્રકાશિત "પથ અને પ્રકાશ" ના 2011 ના દીવાળી અંક માં પ્રસિદ્ધ થયેલ. આ કવિતા વિશે લખીયે તો આપણી આસપાસ ઘુમરાતા ઘણાં સબંધો આજે ફકત અને ફક્ત ફોમાઁલીટી ધરાવતા અને લાગણી શૂન્ય બન્યા છે. તો ઘણીવાર ફક્ત રુપિયો અને દંભી સ્ટેટસ ના ભપકાદાર મોભા માંથી આપણે બહાર નથી આવી શકતા કે કોઈ આપણું જ અંગત પણ આર્થિક સંકડામણ ભોગવતા પ્રિયજનો કે પરીજનો ને આપણે હાંસિયામાં ધકેલી ને ફક્ત કહેવાતા મોભાદાર કે પૈસૈ સુખી માણસ ની આસપાસ જ સમ...