Skip to main content

adcash banner

જીવી લે હવે તુ મન ભરી.

🙏🏻જીવી લે🙏
🙏જીવી લે હવે તું મન ભરીને,
ક્યાં સુધી મારીશ ખુદ થી ખુદ
ને.
બહાર નીકળ તું ચક્રવ્યૂહ તોડી,
ખૂદના બંધન છોડી ને.
ભાગ નહીં ભ્રમણાઓ ડરથી,
જીવન તક છે સંભાવનાઓ ની.
વિપતને તુ ઘોળીને પીજે,
સમય સંજોગ ઝુકાવીને.
આપ પડકાર તું ખુદ ના ખુદ ને,
નજર થી નજર મિલાવી ને.
જીદ ઊભી કર કિન્નાખોરી થી,
હાર ને જીત માં પલટાવી ને.
હવે જીવી લે "શ્યામ" આનંદ મંગલમાં,
ખુદ ના દદઁ વિસરાવી ને..🙏🅿️
મિત્રો હું પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ")
ફરાદી-કચ્છ. 
તા. 15-09-2017 ના રોજ ગાંધીનગર ખાતે હતો ત્યારે દરેક ના જીવનમાં આવતા જ હોય એવા એક વિકટ સમય માંથી પસાર થતો હતો.
અનેક હદય વલોવી નાંખતા વલોપાત મન માં ચાલતાં હતાં તો ઘણાં અનિશ્ચિત ભાવિ ના ભણકારા કાલ્પનિક રીતે મન ને વિચલિત કરી મૂકતા હતાં.
આ સમય દરમ્યાન તા. 15-09-2017 ના રોજ શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ - ગાંધીનગર ખાતે મોટીવેશનલ સ્પીકર પ્રો. દીપક ભાઈ તેરૈયા સાહેબ ઊફઁ "ઉદ્દીપક" ના જીવનરસ થી તરબોળ વક્તવ્ય પછી અને તેમની સાથે થયેલ સંવાદ પછી એક વાત ખુદ ની ખુદ થી કરી - સેલ્ફ ટોક અને એક જાણે નવી જ ઊજાઁ નો સંચાર થયો.
આ સમય દરમિયાન મહાભારત નું આધ્યાત્મ જ્ઞાન અને શ્રી કૃષ્ણ નું આધ્યાત્મ જ્ઞાન જયદેવ લિખિત વાંચવા નો મોકો મળ્યો અને થયો ચમત્કાર!!!
જીવન ને નવા જ દ્રષ્ટિકોણે જોવાની સમજ મળી ગઈ હતી.
આજ રાત્રે આ કવિતા નું સજઁન એજ ભાવ સભર ઊર્મિઓ થી એક સરસ મજાની રચના નો જન્મ થયો.
જે ઘણા અંશે વધુ કે ઓછા પ્રમાણમાં સૌને લાગુ પડશે.
કે"જીવી લે હવે તું મન ભરીને..🙏🅿️

Comments

Post a Comment

Ad

Popular posts from this blog

પિતા બનવાનો રોમાંચિત આનંદ ની ક્ષણો.

🙏🏻મિત્રો આજ રોજ તા.11-02-2018 ને રવિવારે મારા ઘરે પુત્ર નો જન્મ થયો. આ સમાચાર મળ્યા ત્યારે આ સમય દરમિયાન મારે એક  પરીક્ષા નું પેપર હોય ત્યાં જવાની કશ્મકસ માં હતો. આ સમાચારે મને રોમાંચિત, આનંદિત કરી મૂક્યો. જાણે રણ ના કોઈ રહેલા છોડ ને જાણે ઝાકળ બુંદ માંથી મળતું બુંદ બુંદ પાણી પણ જીવનદાતા કે પ્રાણદાતા લાગતું હોય અને જાણે મેઘ વરસી પડે ને જેમ છોડ નવી અંગડાઈ મરડી નવા કુંપળો અને નવા ફુલો ની કળીઓ થી મઘમઘી ઉઠેં. મારી માટે પણ આ સમાચાર અને પિતા બનવાની ખુશી જાણે સંજીવની બની રહે એવી માં આશાપુરા ને પ્રાથઁના. વિકાર વૃતિ થી મારી જીવન યાત્રા મા વખ ઘોળનાર  એ સૌને જાણે માં આશાપુરા જાણે જવાજ આપતાઆ હોય અને હંમેશ મારી સાથે છે એવો સંકેત આપતા હોય અને મને નવજીવન આપતાં હોય એવુ લાગ્યું. ઘણીવાર અનિશ્ચિત ભાવી ના ભણકારા હદય ને કંપાવી દેતાં. આ સમય દરમિયાન પુત્ર જન્મ ના સમાચારે જાણે મારા અનેક દદોૅ દુર થઈ ગયા હોય તેવી અનુભૂતિ થઈ. માં આશાપુરા માતાજીના આશિર્વાદ સદાય સાથે રહે તેવી પ્રાર્થના સહ. પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ"). ફરાદી-કચ્છ. 9998839490. prjadeja-shyam.blogspot.in..🙏🅿️

પોસાશે નહીં

પૈસા નો સબંધ -આજની વરવી વાસ્તવિકતા

Https://www.youtube.com/c/KutchiBawaTalentHub prjadeja-shyam.blogspot.in 🙏🏻પૈસા નો સંબંધ 🙏🏻 પૈસા કેરા સૌ સંબંધો, પૈસે વેચાય સંબંધો ને જાત. પૈસા વગર ના કોઈ ઓળખે, તેના વગર બેકાર દીન-રાત. પૈસો હોય તો દોડી-દોડી સૌ આવે, સાચવતા સંબંધ ત્યારે બહુ ફાવે. જરૂરત હતી મારે જ્યારે, સાથ ના મળ્યો કોઈ નો. આશ્ર્વાસન નો હાથ પણ ના લાંબો કયોૅ, જ્યાં સબંધ હતો લોહીનો. મારે ના જોઈએ આવા સબંધો, ના જોઈએ એ ઠગ જાત. મારી જાતને પરસેવે વાવીને, ઉગાડીશ "શ્યામ" ઇમાન ના દીન-રાત..🙏🅿️ મિત્રો મારા દ્વારા લિખિત આ કવિતા, ક્ષત્રિય રાજપુત સમાજના મેગેઝિન રાજકોટ થી પ્રવિણ સિંહજી જાડેજા સાહેબ - સોરીયા દ્વારા પ્રકાશિત "પથ અને પ્રકાશ" ના 2011 ના દીવાળી અંક માં પ્રસિદ્ધ થયેલ. આ કવિતા વિશે લખીયે તો આપણી આસપાસ ઘુમરાતા ઘણાં સબંધો આજે ફકત અને ફક્ત ફોમાઁલીટી ધરાવતા અને લાગણી શૂન્ય બન્યા છે. તો ઘણીવાર ફક્ત રુપિયો અને દંભી સ્ટેટસ ના ભપકાદાર મોભા માંથી આપણે બહાર નથી આવી શકતા કે કોઈ આપણું જ અંગત પણ આર્થિક સંકડામણ ભોગવતા પ્રિયજનો કે પરીજનો ને આપણે હાંસિયામાં ધકેલી ને ફક્ત કહેવાતા મોભાદાર કે પૈસૈ સુખી માણસ ની આસપાસ જ સમ...

🙏🏻જય માતાજી મિત્રો શ્રી કચ્છ કાઠિયાવાડી રાજપૂત સેવા સમાજ(SKKRSS) સાથે સંકલ્પ બેચ 2017 (પી. આઈ. બેચ) થી જોડાવાનો અવસર મળ્યો. આ દરમિયાન સંસ્થા ની પ્રવૃતિઓ થી રુબરુ થવાનો મોકો મળ્યો અને સંસ્થા ની પ્રવૃત્તિ તેમજ તેના મિશન અને વિઝન થી અભિભૂત થઈ મિશન સિંહાસન ની આહલેક ની પોકાર ને જ્ઞાનશક્તિ રુપી રથયાત્રા થી સમાજ ઉત્થાન ની પ્રત્તિબધ્ધતા ને વંદન. ફુલ નહીં તો ફુલ ની પાંદડી સમાન મારા શબ્દો રુપી પુષ્પો થી સંસ્થા ને આ મારી રચના ભાવાપઁણ કરુ છું. પુષ્પરાજ સિંહ જાડેજા("શ્યામ") ફરાદી કચ્છ. 9998839490..🙏🏻🅿

🙏🏻 *"શિક્ષણ ની જ્યોત"* 🙏🏻 શિક્ષણ ની એક જ્યોત જગાવી છે.  સમાજ ઉસ્થાન ની નવી રાહ કંડારી છે.  જ્ઞાન શક્તિ ની અંજલિ ભરી ને,  *Skkrss* (સંસ્થા) ને વટવૃક્ષ બનાવી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે.  ઉંચા સ્વપ્નો ની, અલગ રાહો ની,  નવા ઉદય ની ક્ષિતિજ પ્રસરાવી છે.  ધન્ય થયા સહયોગ થકી દાતાઓ ના,  સંસ્થાએ લાગણી સ્વિકારી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે  'શ્યામ' ભેખ લઈ મિશન સિંહાસન નો,  પોતાની શક્તિ સૌએ લગાડી છે.  કાયઁ સિધ્ધિ ની પ્રાથઁના સરસ્વતી ને,  મંદિર રૂપી કેરીયર એકેડમી બનાવી છે.  શિક્ષણ ની એક જ્યોત જગાવી છે. 🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.(શ્યામ) ફરાદી કચ્છ.  prjadeja09490@gmail.com 9998839490..🙏🏻🅿

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો.