Skip to main content

adcash banner

પિતા બનવાનો રોમાંચક આનંદ - શ્યામ ની કલમે.

https://www.youtube.com/channel/UCdC60ISgkqA-WKIfctSoDkA

🙏🏻
પિતા બનવાનો રોમાંચિત આનંદ.
મિત્રો આજ રોજ તા.11-02-2018 ને રવિવારે મારા ઘરે પુત્ર નો જન્મ થયો.
આ સમાચાર મળ્યા ત્યારે
આ સમય દરમિયાન મારે એક  પરીક્ષા નું પેપર હોય ત્યાં જવાની કશ્મકસ માં હતો.

આ સમયે મળેલ સમાચારે મને રોમાંચિત, આનંદિત કરી મૂક્યો.
આમતો દરેક વ્યક્તિ જે પિતા બનતો હોય છે ત્યારે તેને રોમાંચક આનંદ તો હોય જ છે.
પણ હું મારી કલમે મારા ઊર્મિ ભાવો ને આપ સમક્ષ રજુ કરી રહ્યો છું જે કદાચ આપને પણ આપની જીંદગી ના એ રોમાંચક સફર ની યાદ અપાવી દે તેવું મારું માનવું છે.
શરુઆત કોઈ તાદ્રશ્ય રુપક થી કરીએ તો મઝા આવશે થોડા ગહન મનો મંથન ની.
જાણે રણ ના કોઈ રહેલા છોડ ને જાણે ઝાકળ બુંદ માંથી મળતું બુંદ બુંદ પાણી પણ જીવનદાતા કે પ્રાણદાતા લાગતું હોય અને જાણે મેઘ વરસી પડે ને જેમ છોડ નવી અંગડાઈ મરડી નવા કુંપળો અને નવા ફુલો ની કળીઓ થી મઘમઘી ઉઠેં. તેમ,
મારી માટે પણ આ સમાચાર અને પિતા બનવાની ખુશી જાણે એક અદ્ભુત આનંદ હોય તો સામે સુદ્ઢ જવાબદારી અને અમારી પાછળ પોતાનું સવઁસ્વ આપનાર મારા માતા-પિતા નું સ્મરણ જાણે હર પલ થતું રહે છે.
તેમણે ભોગવેલી તકલીફો નો તાપ અને અમને પણ તપાવી ને કંચન બનાવ્યા.
જે કોઈ પણ તકલીફ, વિપત્તિ, અણગમતા સમય સામે સાતત્ય પૂર્ણ અડગ મનોબળ સાથે સંઘર્ષ કરવો પણઁ શરણાગતિ નહીં સ્વીકારવાની શિક્ષા આપી.
તેમજ ઉચ્ચ માનવીય સંવેદના સાથે ઉચ્ચ નૈતિકતા ના મૂલ્યો તેમજ જ્યાં હોય ત્યાં આસપાસ ના લોકો ને કાયમ ઉપયોગી થતાં રહેવાની અને જીવન ને બહુઆયામ દ્રષ્ટિકોણે જોવા ની પોઝીટીવ રહેવા ની સમજ આપી.
વંદન મારા માતા-પિતા ને🙏🏻🅿.
આ સમયે મને 2011 માં મેં લખેલી મારી કવિતા યાદ આવી ગઈ જે મારા વતન ફરાદી-કચ્છ પર આધારિત હતી અને જેનું શિષઁક હતું- "મારુ વતન".
આમતો આ કવિતા થોડી મોટી છે પત તેની થોડી લાઈનો અહીં લખવા માંગીશ.
          *"મારું વતન"*
ફરાદી ગામનો વતની હું,
જ્યાં માનવતા આજે મળે છે.
"રાજભા" તેમાં નામ ન્યારુ છે,
મને મારું વતન પ્યારું છે.

લાખ સલામો એ નર-નારી ને,
કહે "શ્યામ" આજ પોકારી ને.
જીવતાં શીખવ્યું જેણે અમોને,
કોટી વંદન માત-પિતા તમોને.
આ કચ્છી નામ એ ન્યારું છે.
મને મારું વતન પ્યારું છે.

આજે મારી પિતા બનવાની ખુશી એ મને મારા પિતાશ્રી તેમજ તેઓના જીવન ઝરમર ને આંખો પાસેથી પસાર થતાં જોયું.
માં આશાપુરા માતાજીના આશિર્વાદ સદાય અમ સૌની સાથે રહે અને જીવનમાં ફરીથી ખૂશીઓ ની બહાર ખીલી ઊઠેં તેવી પ્રાર્થના સહ..

*પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા ("શ્યામ").*
ફરાદી-કચ્છ.

મો. 9998839490.

બ્લોગ - prjadeja-shyam.blogspot.in.

યુ ટ્યુબ ચેનલ-https://www.youtube.com/channel/UCdC60ISgkqA-WKIfctSoDkA

ફેસબુક પેજ - https://www.facebook.com/pg/Prjadeja.shyam

ગુગલ પ્લસ પેજ-http://google.com/+PushparajsinhjiRajendrasinhjiJadeja

ટ્વિટર - @prjadeja9490

બ્લોગ -https://prjadejashyam.wordpress.com .🙏🅿️

Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-2)

Youtube channel :Kutchi Bawa Talent Hub  🙏🏻 ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા🙏 (ભાગ-2) 🙏મિત્રો કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને દાશઁનીક ગામ ફરાદી  મધ્યે કચ્છી પાઘ ના ખરા  જાણકારો પૈકી આપણે ભાગ-1 માં કાપડી રાજા નો પરીચય કયૉ.  આજે આપણે રુબરુ થવાનું છે એક એવા જ બીજા વડીલથી જે 91 વષઁની ઉંમરે પણ યુવાનોને સંદેશ આપી જતી સક્રિય દિનચર્યા થકી વિસ્મય પમાડતાં,   હરીરામ સામજી રાજગોર ઉફેૅ હરીભા ઉફેૅ મારાજ ઉંમર-91 વર્ષ  ગામ - ફરાદી તા-માંડવી, કચ્છ   91 વષઁની ઉંમરે સોપારી ખાઈ શકતાં અને દેવદશઁન સાથે ગામમાં લાકડીના સંગાથે આંટો મારી શકતાં ઉપરાંત બહુ જ ચીવટથી છાપું વાંચતાં https://youtu.be/puhwK0wTGrM તેમજ ઘરે રાત્રે ડોંગરેજી મહારાજની ભાગવત વાંચતા આ મારાજને ગામલોકો હરીભા તરીકે ઓળખે છે. મારાજ યુવાનોને પડકાર જાણે ના આપતાં હોય તેમ રમુજ સાથેની તેમની વાતો મમઁજ્ઞ દેખાય છે. રમુજપ્રીય સ્વભાવ અને ઉંમરના આ પડાવમાં પણ આછેરા સ્મિત અને હળવી રમુજ માંથી જીવનનો મમઁ સમજાવવાની રીત પણ તેઓની માફક અનોખી છે. રામદેવપીરના કંઠસ્થ ભજનો અને આરાધનામાં ભક્તિ ભાવે મગ્ન રહે છે. તો ક્યારેક આ ઉંમરના પ્રભાવમાં ક...

શરદ પુનમની રાત : અનેક સંસ્મરણો સાથ

🙏🏻શરદ પુનમ🌝ની આજરાત્રીના☄ ચંદ્રમા🌕 ને જોઈને મને એક ખૂણામાં ટમ-ટમ બળતાં દીવા🕯 ની યાદ આવી ગઈ. કેટલો વૈભવ💥💫 હતો તેની એ 🔥જ્યોતમાં કે, એક આખાં 🏬ઘરનાં અંધકારને ઊલેચીનેં ફેંકી દેતો..🌝🌚🌕🙏🏻🅿 Dt.-24/10/2018 12:30 🌐www.Prjadeja-shyam.blogspot.in 🌐Https://youtube.com/c/KutchiBawaTalentHub

પોસાશે નહીં

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત : ����વિશ્વાસઘાત���� વિશ્વાસ કયોૅ જેના પર, તે વિશ્વાસઘાતીય નીકળે છે. દોસ્તો જ ઘણીવાર, દુશ્મન પણ નીકળે છે. હસતા ચહેરા પાછળ ક્યારેક, ઉ...