Skip to main content

adcash banner

પિતા બનવાનો રોમાંચક આનંદ - શ્યામ ની કલમે.

https://www.youtube.com/channel/UCdC60ISgkqA-WKIfctSoDkA

🙏🏻
પિતા બનવાનો રોમાંચિત આનંદ.
મિત્રો આજ રોજ તા.11-02-2018 ને રવિવારે મારા ઘરે પુત્ર નો જન્મ થયો.
આ સમાચાર મળ્યા ત્યારે
આ સમય દરમિયાન મારે એક  પરીક્ષા નું પેપર હોય ત્યાં જવાની કશ્મકસ માં હતો.

આ સમયે મળેલ સમાચારે મને રોમાંચિત, આનંદિત કરી મૂક્યો.
આમતો દરેક વ્યક્તિ જે પિતા બનતો હોય છે ત્યારે તેને રોમાંચક આનંદ તો હોય જ છે.
પણ હું મારી કલમે મારા ઊર્મિ ભાવો ને આપ સમક્ષ રજુ કરી રહ્યો છું જે કદાચ આપને પણ આપની જીંદગી ના એ રોમાંચક સફર ની યાદ અપાવી દે તેવું મારું માનવું છે.
શરુઆત કોઈ તાદ્રશ્ય રુપક થી કરીએ તો મઝા આવશે થોડા ગહન મનો મંથન ની.
જાણે રણ ના કોઈ રહેલા છોડ ને જાણે ઝાકળ બુંદ માંથી મળતું બુંદ બુંદ પાણી પણ જીવનદાતા કે પ્રાણદાતા લાગતું હોય અને જાણે મેઘ વરસી પડે ને જેમ છોડ નવી અંગડાઈ મરડી નવા કુંપળો અને નવા ફુલો ની કળીઓ થી મઘમઘી ઉઠેં. તેમ,
મારી માટે પણ આ સમાચાર અને પિતા બનવાની ખુશી જાણે એક અદ્ભુત આનંદ હોય તો સામે સુદ્ઢ જવાબદારી અને અમારી પાછળ પોતાનું સવઁસ્વ આપનાર મારા માતા-પિતા નું સ્મરણ જાણે હર પલ થતું રહે છે.
તેમણે ભોગવેલી તકલીફો નો તાપ અને અમને પણ તપાવી ને કંચન બનાવ્યા.
જે કોઈ પણ તકલીફ, વિપત્તિ, અણગમતા સમય સામે સાતત્ય પૂર્ણ અડગ મનોબળ સાથે સંઘર્ષ કરવો પણઁ શરણાગતિ નહીં સ્વીકારવાની શિક્ષા આપી.
તેમજ ઉચ્ચ માનવીય સંવેદના સાથે ઉચ્ચ નૈતિકતા ના મૂલ્યો તેમજ જ્યાં હોય ત્યાં આસપાસ ના લોકો ને કાયમ ઉપયોગી થતાં રહેવાની અને જીવન ને બહુઆયામ દ્રષ્ટિકોણે જોવા ની પોઝીટીવ રહેવા ની સમજ આપી.
વંદન મારા માતા-પિતા ને🙏🏻🅿.
આ સમયે મને 2011 માં મેં લખેલી મારી કવિતા યાદ આવી ગઈ જે મારા વતન ફરાદી-કચ્છ પર આધારિત હતી અને જેનું શિષઁક હતું- "મારુ વતન".
આમતો આ કવિતા થોડી મોટી છે પત તેની થોડી લાઈનો અહીં લખવા માંગીશ.
          *"મારું વતન"*
ફરાદી ગામનો વતની હું,
જ્યાં માનવતા આજે મળે છે.
"રાજભા" તેમાં નામ ન્યારુ છે,
મને મારું વતન પ્યારું છે.

લાખ સલામો એ નર-નારી ને,
કહે "શ્યામ" આજ પોકારી ને.
જીવતાં શીખવ્યું જેણે અમોને,
કોટી વંદન માત-પિતા તમોને.
આ કચ્છી નામ એ ન્યારું છે.
મને મારું વતન પ્યારું છે.

આજે મારી પિતા બનવાની ખુશી એ મને મારા પિતાશ્રી તેમજ તેઓના જીવન ઝરમર ને આંખો પાસેથી પસાર થતાં જોયું.
માં આશાપુરા માતાજીના આશિર્વાદ સદાય અમ સૌની સાથે રહે અને જીવનમાં ફરીથી ખૂશીઓ ની બહાર ખીલી ઊઠેં તેવી પ્રાર્થના સહ..

*પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા ("શ્યામ").*
ફરાદી-કચ્છ.

મો. 9998839490.

બ્લોગ - prjadeja-shyam.blogspot.in.

યુ ટ્યુબ ચેનલ-https://www.youtube.com/channel/UCdC60ISgkqA-WKIfctSoDkA

ફેસબુક પેજ - https://www.facebook.com/pg/Prjadeja.shyam

ગુગલ પ્લસ પેજ-http://google.com/+PushparajsinhjiRajendrasinhjiJadeja

ટ્વિટર - @prjadeja9490

બ્લોગ -https://prjadejashyam.wordpress.com .🙏🅿️

Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો. 

પોસાશે નહીં

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ પુસ્તિકા ડાઉનલોડ કરવાં.. નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⬇️ https://drive.google.com/file/d/19qPt-Qf9y0TDJQFziYkaqjf7hLRR_kX3/view?usp=drivesdk કચ્છના રાજપૂતો ઉપર એકીસાથે થનારા ચેપટર કેસો બાબતનો લેખ સામેલ. જમીન મહેસુલનો ઈતિહાસ.  એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો..મહેસૂલ માટે અમારા વિસ્તારમાં "વીઘોટી" શબ્દ વપરાતો..મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ...મહેસૂલી વહીવટનો રસપ્રદ ઇતિહાસ છે..અર્થશાસ્ત્રમાં જેમ એડમ સ્મીથ છે..મનોવિજ્ઞાનમાં જેમ સિગ્મંડ ફ્રોઇડનું નામ છે..સાહિત્યમાં જેમ શેક્સપિયર છે એવું જ નામ મહેસૂલી દુનિયામાં બ્રિટીશ સનદી અધિકારી એન્ડરસનનું છે..એણે ઇ.સ.1914માં તૈયાર કરેલા મહેસૂલી હિસાબના નમૂનાઓ દંતકથા સમાન છે..આજે પણ સાત બાર કે નમૂનો 6 હકકપત્રક એ જમીન માટે અનિવાર્ય છે.. https://youtube.com/c/KutchiBawaTalentHub     મહેસૂલી દુનિયા અને એના શબ્દો એની વિરાસતને વ્યકત કરે છે..રૈયત એટલે પ્રજા અને રૈયતવારી એટલે શાસન અને લોકો વચ્ચે સીધા વ્યવહારની પ્રથા..રકબો એટલે ગામનું કુલ ક્ષેત્રફળ..પા

मृत्यु अटल है लेकिन अटल अमर है

🙏🏻दुःखद... मै निशब्द हुं, मै शुन्य मे हुं, लेकीन भावनाओं का ज्वार उमड रहा है। 🙏🏻मृत्यु अटल है लेकिन अटल अमर है🙏🏻 भारतरत्न औरपूर्व प्रधानमंत्री एवं भारतीय राजनीतिके भीष्म पितामह अटल बिहारी वाजपेयी का aiims हॉस्पिटल में निधन। 🙏🏻जानें इनका राजनीतिक सफ़र🙏🏻 भारत के पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी का 16 अगस्त 2018 को दिल्ली के एम्स में शाम 05 बजकर 05 मिनट पर निधन हो गया. अटल बिहारी वाजपेयी को गुर्दा (किडनी) की नली में संक्रमण, छाती में जकड़न, मूत्रनली में संक्रमण आदि के बाद 11 जून 2018 को एम्स में भर्ती कराया गया था. अटल बिहारी वाजपेयी के निधन पर पीएम मोदी का ट्वीट: मधुमेह से पीड़ित वाजपेयी का एक ही गुर्दा काम करता था. हालांकि, इन सबमें डिमेंशिया से भी अटल बिहारी वाजपेयी सबसे ज्यादा पीड़ित थे. 🙏 डिमेंशिया क्या है?🙏 डिमेंशिया किसी खास बीमारी नहीं, बल्कि एक अवस्था है. डिमेंशिया में इंसान की याददाश्त कमजोर हो जाती है और वह अपने रोजमर्रा के काम भी ठीक से नहीं कर पाता है. डिमेंशिया से पीड़ित लोगों में लघु याददाश्त जैसे लक्षण भी देखने को मिलते हैं. अकसर लोग डिमेंशिया को सिर्फ एक भ