Skip to main content

Posts

adcash banner

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

કચ્છ અને સૌરાષ્ટ્ર - વાયુ વાવાઝોડું : વાવાઝોડામાં સાવચેતીના પગલાં - મનુષ્ય જીવન અમુલ્ય છે.

૧. નંબરનું સિગ્નલ સંભવિત વાવાઝોડાની ચેતવણી ૨. નંબરનું સિગ્નલ વાવાઝોડું સક્રિય થયું છે આ નંબરનું સિગ્નલ બતાવે છે કે બંદર છોડ્યા પછી દરિયામાં જતા જહાજોને સમુદ્રી બળનો સામનો કરવો પડશે ૩. નંબરનું સિગ્નલ સપાટીવાળી હવાથી બંદર ભયમાં છે ૪. નંબરનું સિગ્નલ વાવાઝોડાથી બંદર ભયમાં છે.પરંતુ અત્યાર સુધી ભય એવો ગંભીર જાણતો નથી, કે જેનાથી કોઈ સાવચેતીના પગલા લેવા પડે.૫ 5. નંબરનું સિગ્નલ થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરથી દક્ષિણ દિશા તરફ કિનારાઓ ઓળંગે તેવી શકયતા જેથી બંદરમાં ભારે હવા ફૂંકાઇ તેવી શકયતા છે. ૬. નંબરનું સિગ્નલ (ભય) થોડા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદરની ઉતર દિશા તરફનો કિનારાઓ ઓળંગે તેવી શકયતા જેથી બંદર ઉપર ભારે હવાનો અનુભવ થાય. ૭. નંબરનું સિગ્નલ (ભય) પહોળા અથવા સાધારણ પ્રકારનું વાવાઝોડું બંદર નજીક અથવા બંદરની ઉપર થઈને પસાર થાય તેવી શકયતા જેથી બંદરને ભારે તોફાની પવનનો સામનો કરવો પડશે. ૮. નંબરનું સિગ્નલ (મહાભય) ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી દક્ષિણ તરફ કિનારો ઓળંગે તેવી શકયતા જેથી બંદરે તોફાની હવાનો અનુભવ થાય. ૯. નંબરનું સિગ્નલ (મહાભય) ભારે જોરવાળું વાવાઝોડું બંદરથી ઉતર તરફ કિનાર

🙏🏻હમીરજી ગોહિલ-સોમનાથની સખાતે🙏🏻

🙏🏻હમીરજી ગોહિલ-સોમનાથની સખાતે🙏🏻 સૌરાષ્ટ્રની રસધારા - આપણી સંસ્કૃતિ અને આપણો વારસો. ભલે યુગોના સમય વિત્યા કરે, બદલાયા કરે, પરંતુ માણસની ખાનદાની, ખુમારી અને ધરા કાજે, કોઇ ધરમ કાજે, કોઇ વટ વચન ગાય માતને કાજે, કે પછી અન્યાય સામે ધીંગાણે ચડી પાળીયા બની ગયેલા વિરોનો ઈતિહાસ હમેશા રહેવાનો છે, સૌરાષ્ટ્રની ધરતી ઉપર ઘણા માનવ રત્નો જન્મ્યા છે જે ઓની ખાનદાની અને ખુમારી આજે પણ સૌરાષ્ટ્રની ધરામાં ધરબી પડી છે, https://www.youtube.com/c/KutchiBawaTalentHub નેક, ટેક અને ધરમની જ રે, અને વળી પાણે પાણે વાત, ઈ તો સંત ને શૂરાના બેસણાં, અમ ધરતીની અમીરાત, આજે જેમની વાત કરવી છે તે ગુજરાતના ઘુઘવતા અરબી સમુદ્ર કિનારા પાસે બિરાજમાન ભગવાન સોમનાથ મંદિરના ઈતિહાસમા સુવર્ણ અક્ષરોમા લખાયેલ છે, ધરમની રક્ષા કાજે યુધ્ધે ચડેલા મીઢોડ બંધા રાજપુતની આજે વાત માડવી છે. જેમનું નામ સોમનાથ મંદિરના ઈતિહાસમા અમર બની ગયું છે, ભગવાન સોમનાથ મંદિર પરીસરમા પ્રવેશતા પ્રથમ ડેરી તેમની છે, કવિએ અટલે તો કહ્યું છે..., "ધડ ધીગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પુજાવું ઘડવૈયા મારે, ઠાકોરજી નથી થવું." ભગવાન સોમનાથના સાનિધ્યમા જેમનું

🙏🏻ઇમાનદારી : વેપારમાં ઉચ્ચ મૂલ્યોનો વારસો..🙏🏻

🙏🏻ઇમાનદારી : વેપારમાં ઉચ્ચ મૂલ્યોનો વારસો..🙏🏻 સત્ય ઘટના આધારીત.. હમણાં લગ્નની સિઝન પુરી થઇ. મારા ભાઈના લગ્ન ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં પુરા થયા હતાં એટલે લગ્નખર્ચનો હિસાબ કરી છુટક લેણાં ચૂકતે કર્યા. મોટા ખર્ચાને પ્રથમથી જ હપતે - હપતે ચુકવવાનું નક્કી કર્યું હતું. લાંબા હિસાબના લીસ્ટને ઓકે કર્યું. આ દરમિયાન લગ્ન જમણવારના અને રાશનના હિસાબના અમુક હપ્તા ચુકવ્યા. આ સમયે મિત્રો  તા. ૩૧-૩-૧૯ એક ફોન આવ્યો. જે ઉપાડ્યો ત્યારે સ્વાભાવિક જ મને લાગ્યું કે ફાઇનાન્સિયલ વર્ષ પૂર્ણ થતું હોવાથી કદાચ થોડી રુપિયાની વ્યવસ્થા બાબત હશે તેમ વિચાર્યુ. અને હિસાબ વાત સાંભળતા જ હાલમાં કોઈ વ્યવસ્થા નહીં થઈ શકે તેમ મારી અસમર્થતા દર્શાવી. પરંતુ સામેથી મારા આશ્ર્ચર્ય અને આનંદ વચ્ચે ખરેખર ધ્રુવ તારક સમાન નૈતિકતાની વાત જાણવા મળી. કે તમારા હિસાબમાં ભૂલથી રુ.૫૬૦૦ ની જગ્યાએ રુ.૧૮૦૦૦ ઉધારવામાં આવ્યા હતાં જે ફાઇનાન્સિયલ વર્ષ પૂર્ણતા પર છે ત્યારે ફરીથી હિસાબ કરતાં જાણવા મળી. જેની જાણ તમને કરતાં તથા રુ.૧૨૪૦૦ તમારા ખાતામાં જમા કરવામાં આવ્યાં છે. આ ઉપરાંત હિસાબ બાબત અને બાકી રહેલ રકમના ચૂકવણા બાબત પણ નિશ્ર્ચિત રહેવાનું જણાવ

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો. 

Ad